Mr. Rahul Narain Bhagat
રાહુલ ભગત
ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર
શ્રી રાહુલ ભગત એક બહુમુખી ગ્રાહક બેંકિંગ વ્યાવસાયિક છે જેમને 3 દાયકાથી વધુનો અનુભવ છે.
શ્રી ભગત એએનઝેડ ગ્રિન્ડલેઝ બેંક (1989-1997) માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી બેંક ઓફ અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટ (1997-1999) તરીકે જોડાયા. જ્યારે બેંક એએમ એ અનેક એશિયન બજારમાં તેમના ગ્રાહક બેંકિંગ પોર્ટફોલિયો વેચી દીધા, ત્યારે શ્રી ભગત એચડીએફસી બેંકમાં જોડાયા જ્યાં તેમણે આગામી 16 વર્ષ (1999-2015) ગાળ્યા. રિટેલ જવાબદારીઓ, માર્કેટિંગ અને ડાયરેક્ટ બેંકિંગ ચેનલ્સના કન્ટ્રી હેડ તરીકે, શ્રી ભગતે 10 વર્ષ સુધી સીઈઓને રિપોર્ટ કર્યો, એક વૈવિધ્યસભર પોર્ટફોલિયોનું સંચાલન કર્યું અને અગ્રણી ગ્રાહક અને ડિજિટલ બેંકિંગ ફ્રેન્ચાઇઝ તરીકે બેંકની પ્રતિષ્ઠા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ તેમણે 2015 માં વોડાફોન ઇન્ડિયા લિમિટેડ સાથે ભાગીદારી કરીને પેમેન્ટ્સ બેંક લાઇસન્સ માટે સફળતાપૂર્વક અરજી કરી અને પ્રસ્તાવિત બેંકના સીઈઓ (ડેઝિનેટ) તરીકે નિયુક્ત થયા.
તેમના વ્યાપક બેંકિંગ કારકિર્દી દરમિયાન, શ્રી ભગત ના યોગદાન અને નેતૃત્વને અનેક બોર્ડ અને સમિતિઓમાં આમંત્રણ દ્વારા માન્યતા આપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: રિટેલ બેન્કિંગ પર સ્થાયી સમિતિ, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન; એક્ઝિક્યુટિવ કમિટી - નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ; કસ્ટમર ગ્લોબલ એડવાઇઝરી બોર્ડ, એનસીઆર કોર્પ (યુએસએ); ગ્લોબલ એડવાઇઝરી બોર્ડ, ડાયબોલ્ડ ઇન્ક (યુએસએ).
શ્રી ભગત શિક્ષણ અને વારસા સંરક્ષણ ક્ષેત્રમાં સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ દૂન સ્કૂલ ના બોર્ડ ઓફ ગવર્નર્સ ના સભ્ય અને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ ઇન્ડિયા એસોસિએશનના સ્થાપક ડિરેક્ટર હતા. તેઓ અનેક કોમર્શિયલ બોર્ડમાં ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે અને તેમના અનુભવનો ઉપયોગ પ્રારંભિક તબક્કાના ફિનટેક અને રિટેલ કેન્દ્રિત ઉદ્યોગ સાહસિકોમાં રોકાણ કરવા અને માર્ગદર્શન આપવા માટે કરે છે.
શ્રી રાહુલ ભગત ને ધ એશિયન બેંકર દ્વારા તેમના અગ્રણી પ્રેક્ટિશનર્સ ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શ્રી ભગતે વિલિયમ્સ બર્ગ, યુએસએની કોલેજ ઑફ વિલિયમ એન્ડ મેરી માંથી આંતરરાષ્ટ્રીય બાબતોમાં માસ્ટર ઑફ આર્ટ્સ ની ડિગ્રી અને દિલ્હી યુનિવર્સિટી, ભારતની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં બેચલર ઑફ આર્ટસ ની ડિગ્રી (ઓનર્સ) મેળવી છે.
પાછા જાઓ